માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ગુલાબ પ્રેમનું પ્રતીક છે: વાંકાનેર વાયરલ થયેલા ફોટોને લઈને ભાજપનો બચાવ


SHARE

















ગુલાબ પ્રેમનું પ્રતીક છે: વાંકાનેર વાયરલ થયેલા ફોટોને લઈને ભાજપનો બચાવ

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 71 માં જન્મ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી ની તસ્વીર પર ભાજપ કાર્યકરો દ્વારા ફૂલહાર ચડાવવામાં આવતા તે તસ્વીર વાયરલ થઈ હતી અને ખાસ કરીને વાંકાનેર ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણીએ તેના ફેસબુક ઉપર પણ તે ફોટો મૂક્યો હતો અને લખ્યું હતું કે આપણાં આદરણીય વડાપ્રધાન હજુ જીવે છે જેથી હોબાળો મચી ગયો હતો અને જીતુભાઈએ મૂકેલા ફોટાના કેપ્શનનો હાલમાં વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવેલ છે અને તેમણે કહ્યું છે કે, ગુલાબ પ્રેમનું પ્રતિક છે વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા દ્વારા આ બાબતે વળતી પ્રતિક્રિયા આપવામાં આવી છે અને જણાવ્યું છે કે ગુલાબ અને સુખડમાં ઘણો ફર્ક છે, શાસ્ત્ર વાચન જરૂરી છે, માત્ર રાજકારણ કરવું યોગ્ય નથી, ગુલાબ પ્રેમનું પ્રતીક છે અને આથી વડાપ્રધાનની તસ્વીરને હાર પહેરાવામાં આવ્યો હતો.




Latest News