મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

ગુલાબ પ્રેમનું પ્રતીક છે: વાંકાનેર વાયરલ થયેલા ફોટોને લઈને ભાજપનો બચાવ


SHARE





ગુલાબ પ્રેમનું પ્રતીક છે: વાંકાનેર વાયરલ થયેલા ફોટોને લઈને ભાજપનો બચાવ

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 71 માં જન્મ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી ની તસ્વીર પર ભાજપ કાર્યકરો દ્વારા ફૂલહાર ચડાવવામાં આવતા તે તસ્વીર વાયરલ થઈ હતી અને ખાસ કરીને વાંકાનેર ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણીએ તેના ફેસબુક ઉપર પણ તે ફોટો મૂક્યો હતો અને લખ્યું હતું કે આપણાં આદરણીય વડાપ્રધાન હજુ જીવે છે જેથી હોબાળો મચી ગયો હતો અને જીતુભાઈએ મૂકેલા ફોટાના કેપ્શનનો હાલમાં વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવેલ છે અને તેમણે કહ્યું છે કે, ગુલાબ પ્રેમનું પ્રતિક છે વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા દ્વારા આ બાબતે વળતી પ્રતિક્રિયા આપવામાં આવી છે અને જણાવ્યું છે કે ગુલાબ અને સુખડમાં ઘણો ફર્ક છે, શાસ્ત્ર વાચન જરૂરી છે, માત્ર રાજકારણ કરવું યોગ્ય નથી, ગુલાબ પ્રેમનું પ્રતીક છે અને આથી વડાપ્રધાનની તસ્વીરને હાર પહેરાવામાં આવ્યો હતો.




Latest News