મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની શિબિર યોજાશે
SHARE
મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની શિબિર યોજાશે
આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ,ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત,માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત,વ્યસ્ત છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ત્યારે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ધ્યાન શિબિર યોજાશે
જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા, અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણસદા આંનદમાં રહેવાની કળા, સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે આ યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે. આ શિબિર આગામી તા ૧/૭ ના રોજ સાંજે સાત કલાકે મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે યોજાશે તેના માટે નવનીત કુંડારિયા ૯૮૨૫૨ ૨૪૮૯૮, ધ્રુવ દેત્રોજા ૯૯૧૩૧ ૧૧૨૦૨, અંબારામ કવાડિયા ૯૮૨૫૨ ૬૩૧૪૨ રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને શિબિરમાં જોડાવ અને જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા આયોજકોએ જણાવ્યુ છે