મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ડો.જયેશ સનારીયા વિશ્વ યોગ દિવસે આંતર રાષ્ટ્રીયકક્ષાની યોગ હરીફાઈમાં પ્રથમ ક્રમાંક વિજેતા


SHARE













મોરબીના ડો.જયેશ સનારીયા વિશ્વ યોગ દિવસે આંતર રાષ્ટ્રીયકક્ષાની યોગ હરીફાઈમાં પ્રથમ ક્રમાંક વિજેતા

૨૧ મી જૂનના રોજ આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ઋીષિકેશ ખાતે યોગની હરીફાઈ યોજાયેલી હતી.જેમાં સમગ્ર વિશ્વમાથી ઉમરની કેટેગરી મુજબ ૧૫ વ્યક્તિઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતા.જેમાં ૪૦ વર્ષથી વધુ ઉંમરની કેટેગરીમા મોરબીની સ્પર્શ સ્કીન અને કોસ્મેટિક ક્લિનિકના ડાઇરેક્ટર ડો.જયેશ સનારીયા અને દેવેન્દ્રભાઈ ફુલતારીયાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ફાઇનલ રાઉન્ડમા જયેશભાઇ સિલેક્ટ થયાં હતા જેમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

આજના ભાગદોડ અને ટેન્શનવાળી લાઈફ સ્ટાઇલમાં જો દરેક વ્યક્તિ દરરોજ અડધો કલાક યોગા, પ્રાણાયામ અને મેડિટેશન કરે તો શારીરિક ફિટનેસ અને માનસિક શાંતિમાં ચોક્કસ ફાયદો થાઈ છે.જેનું બેસ્ટ ઉદાહરણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે.જે આટલા બીઝિ હોવા છતાં પણ એક દિવસ યોગ કરવાનું ચૂકતા નથી અને એમને કયારેય બીમાર કે થાકેલા જોયા નથી.ડૉ.જયેશ સનારિયા એમના મિત્રો ડૉ.શૈલેશ પટેલ, ડૉ.વિનોદ કૈલા, સંદીપભાઈ પટેલ, ભાવિન ભાડજા અને દેવેન્દ્ર ફુલતરીયા સાથે છેલ્લા ૫ વર્ષથી યોગની પ્રેક્ટિસ કરે છે અને એમના ગુરૂ કમલેશભાઈ પટેલના કહેવા મુજબ યોગ કરવાથી સ્કીન અને વાળને લગતા રોગોમા તો ચોક્કસ ફાયદો થાઈ જ છે.પરંતુ સાથે સાથે ડાયાબિટીસ, થાઇરોડ, બ્લડ પ્રેસર, મેદસ્વીતા, કબજિયાત, એસીડીટી, અનીદ્રા અને ડિપ્રેસન જેવા હઠીલા રોગોમાં પણ લાભ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના ડો. જયેશ સનારીયા ને સ્પર્શ ક્લિનીક ને વર્ષ ૨૦૧૫-૧૬ મા આઈ.એમ.એ. ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નો બેસ્ટ ક્લિનીક એવોર્ડ, વર્ષ ૨૦૧૭-૧૮ મા આઈ.એમ.એ મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિશિયન એવોર્ડ તથા ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નો બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ એનાયત કરવા મા આવ્યો હતો ત્યારે તાજેતર મા આંતર રાષ્ટ્રીય કક્ષા એ નામના મેળવી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.








Latest News