મોરબીમાં જીલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ માટે તૈયારી શરૂ
SHARE
મોરબીમાં જીલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ માટે તૈયારી શરૂ
મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ જાડેજાની યાદી જણાવ્યુ છે કે, મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાતા સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૩૦/૭/૨૩ ને રવિવારના રોજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
આ કાર્યક્રમમાં ધોરણ ૫ થી કોલેજ સુધીના વિધાર્થીઓની માર્કશીટની નકલ તા.૧૪/૭ સુધીમાં આપવા માટે જણાવ્યુ છે અને તા ૧૪ પછી માર્કશીટની નકલ સ્વીકારવામાં આવશે નહીં તેવું પણ સમાજના પ્રમુખે જણાવ્યુ છે અને આ માર્કશીટ મહાવરસિંહ જાડેજા ચાંદલી (તલાસ, કડિયા બોર્ડિંગ પાસે મોરબી ૯૮૭૯૪૦૦૦૦૭), હદેવસિંહ જાડેજા (ગુ.હા.બોર્ડ મોરબી ૯૮૨૫૧૯૫૯૬૧), દિલીપસિંહ પરમાર (મોરબી ૯૮૨૫૨૧૪૩૪૪), મહાવિરસિંહ જાડેજા (નગરપાલીકા, મોરબી ૯૯૨૫૦૨૦૨૪૯), જાવંતસિંહ ઝાલા (સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી ૯૦૩૩૬૦૦૩૦૩) રાજભા સોઢા (ગુ.હા.બોર્ડ, શનાળા રોડ, મોરબી ૯૮૨૫૬૭૩૯૩૬) વિગેરેને પહોચડવાની છે