મોરબી જીલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને નુકશાની સામે વળતર આપવાની માંગ
મોરબીના શનાળા ગામે માતાને દસ્તા વડે માર મારનારા દીકરાની ધરપકડ
SHARE
મોરબીના શનાળા ગામે માતાને દસ્તા વડે માર મારનારા દીકરાની ધરપકડ
મોરબીના શનાળા ગામે માતા પાસે દીકરાએ રૂપિયાની માંગણી કરી હતી ત્યારે માતાએ રૂપિયા આપવાની ના પાડતા તેને જેમ ફાવે તેમ ગાળો આપીને લોખંડના દસ્તા વડે માથામાં તથા ડાબા હાથમાં માર મારીને ઇજા કરી હતી જેથી માતાને માર મારનાર દીકરાની સામે તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મોટી બરાર ગામના રહેવાથી અને હાલમાં મોરબી નજીકના સનાળા ગામે દરબાર શેરીમાં જૂની પીજીવીસીએલ ઓફિસ પાસે રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રવીણસિંહ કેશુભા જાડેજા (૭૨) એ તેના દીકરા ભગીરથસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે. સનાળા વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેના પત્ની રંજનબા (૬૫) ઘરે હાજર હતા ત્યારે તેના દીકરા ભગીરથસિંહે તેની માતા પાસે રૂપિયાની માંગણી કરી હતી જોકે, રંજનબાએ તેના દીકરાને રૂપિયા આપવાની ના પાડતા ભગીરથસિંહે તેની માતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને બાદમાં લોખંડના દસ્તા વડે માથામાં અને ડાબા હાથમાં માર માર્યો હતો જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ મહિલાના પતિ દ્વારા તેના દીકરાની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં આરોપી ભગીરથસિંહ ઉર્ફે ચકો પ્રવીણસિંહ જાડેજા જાતે દરબાર (૩૬) રહે. સનાળા વાળાની પીએસઆઈ આર.એન. ભટ્ટ અને તેની ટીમે ધરપકડ કરેલ છે
ફિનાઈલ પી જતા સારવારમાં









