મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો, હેલોઝન બંધ કરવા રજૂઆત..!


SHARE













મોરબીમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો, હેલોઝન બંધ કરવા રજૂઆત..!
 
મોરબી પાલીકામાં રાજ ભાજપનું હોય કે કોંગ્રેસનું રૂટીમ ફરીયાદો તો વર્ષોથી ચાલ્યા જ આવે છે કારણકે કોઇના દ્રારા સમસ્યાનો કાયમી ઉકેલ શોધવામાં જ આવતો નથી સરકાર લાખો નહીં કરોડોની ગ્રાંટ લોક સુખાકારી માટે ફાળવે છે છતાં સતાધીસો તેમજ અધીકારી અને પેધી ગયેલ સ્ટાફ-કોન્ટ્રાકટરોની મિલીભગતને લીધે રોડ-રસ્તા, સ્ટ્રીટલાઅટ, સફાઇ, ભુગર્ભ, બાગ-બગીચાના પ્રશ્નોનો કદી કાયમી ઉકેલ લાવવામાં જ આવતો નથી અને લાખોના બીલો પાસ થઇ જવા છતાં મોરબીવાસીઓના નસીબમાં તો ફરીયાદો કરવાનું જ રહેતુ હોય પાલીકાના સતાધીસો તેમજ અધીકારી અને પેધી ગયેલ સ્ટાફ-કોન્ટ્રાકટરોએ આત્મંથન કરવાની જરૂર છે.
 
તાજેતરમાં એક જાગૃત નાગરીક એવા વકીલ સંજય રાજપરાએ પાલીકાને ઉદેશીને રજુઆત કરેલ છેતે હાલમાં છેલ્લા ઘણા સમયથી ધોળા દિવસે શબેરમા મોટા ભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો, હેલોઝન ચાલુ રહે છે તેને સમયસર બંધ કરવાના વ્યવસ્થા ગોઠવવી જોઇએ. રજુઆતમાં જણાવ્યા મુજબ ગત તા.૧૭ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મદિવસની ઉજવણી દેશભરમાં યજ્ઞ વગેરે કાર્યક્રમો કરીને કરવામાં આવી.વડાપ્રધાન ઊર્જા બચત માટે તથા આપણા દેશને અગ્રેસર તેમજ વિશ્વ ગુરુ બનાવવા હંમેશા કાર્યશીલ છે.તેની વચ્ચે મોરબીમાં તા.૧૮ તથા ૧૯ સપ્ટેમ્બરના દિવસોમાં રવાપર રોડ, શનાળા રોડ ઉપરની સોસાયટીઓમાં તેમજ પાડાપુલ-મયુરપુલ સહિત શહેરના અનેક વિસ્તારોમાં દિવસે લાઇટો ચાલુ હતી.જોકે આ ફરીયાદ અગાઉ અન્ય એક જાગૃત નાગરીક પ્રહલાદસિંહ જાડેજાએ પીજીવીસીએલની "ઉર્જા બચાવો" રેલી સમયે કરી હતી માટે સરકારના વિજબચતના સુત્રને ચરીતાર્થ કરવા મોરબી પાલીકા કયારે કટીબધ્ધ થશે અને દિવસે ચાલુ રહેતી અને રાત્રે બંધ રહેતી સ્ટ્રીટ લાઇટોના પ્રશ્નઓ કયારે ઉકેલશે..? એ તો આગામી સમય જ બતાવશે.





Latest News