મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામે પતિના અગ્નિદાહ પૂર્વે જ પત્નીનું પણ અવસાન


SHARE







મોરબીના સાદુળકા ગામે પતિના અગ્નિદાહ પૂર્વે જ પત્નીનું પણ અવસાન

મોરબીના જુના સાદુળકા ગામે રહેતા પરિવારમાં પતિના અવસાન બાદ તેની સ્મશાન યાત્રા નીકળી હતી અને ગામના ઝાપા સુધી આ યાત્રા પહોચી હશે ત્યાં તેઓના પત્નીએ પણ પત્નીએ  પણ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટ પકડી હતી આમ સપ્તપદીના વચનને છેવટ સુધી પાળ્યા હતા

મોરબીના જુના સાદુળકા ગામના રહેવાસી દિલીપસિંહ પથુભા ઝાલાના પિતાનું પથુભા ચકુભા ઝાલાનું અવસાન થયું હતું જેથી કરીને તેઓની સ્મશાન યાત્રા ઘરેથી નીકળી હતી અને પથુભાને અગ્નિદાહ આપાય તે પહેલા સ્મશાન યાત્રા હજુ તો ગામના ઝાંપા સુધી પહોંચી હતી ત્યાં તેઓના પત્ની વિલાસબા ઝાલાએ પણ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટ પકડી હતી. અને એક દિવસે એક જ ઘરમાં બે વ્યક્તિના અવસાન થવાથી નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું 






Latest News