મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને નવરાત્રીમાં ગરબા માટે બોલાવીને મદદરૂપ થવા અપીલ


SHARE











મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને નવરાત્રીમાં ગરબા માટે બોલાવીને મદદરૂપ થવા અપીલ

નવરાત્રીની લોકો આતુરતાથી રાહ જોતાં હોય છે ત્યારે આ નવરાત્રીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને લોકો પોતાની સોસાયટીમાં કરવામાં આવતા ગરબામાં બોલાવીને તેની કલા રજૂ કરવા માટેની તકે આપે અને પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં રહેતા પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સહયોગ આપે તેના માટે અપીલ કરવામાં આવી છે

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે "માં" ની ભક્તિ સાથે સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે. જેમાં ગરબા સહિતનો આનંદ લોકોને મળે છે ત્યારે મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ દ્વારા નવરાત્રીમાં તેની કલા રજૂ કરીને રોજગારી મેળવવામાં આવે છે ત્યારે નવરાત્રીના પર્વ ઉપર "માં" ના ગરબા-દાંડિયા પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે યોજીને "માં"ની ભક્તિ સાથે પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ થકી લક્ષ્મીનાગર ગામ પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં રહેતા લોકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે અપીલ કરવામાં આવી છે અને પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ હાતીમભાઇ એસ. રંગવાલાએ જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં કોઈ પણ સોસાયટીમાં ગરબાનું આયોજન કરવાનું વિચારી રહ્યા હોય તે લોકોએ એકવાર આ પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને તેઓની સોસાયટીમાં દાંડીયારાસનો પ્રોગ્રામ રજૂ કરવા માટેનો અવસર આપવો જોઈએ અને તેના માટે કોઈપણ વ્યક્તિ ૯૪૨૯૯ ૭૮૯૩૦ નંબર ઉપર સંપર્ક કરી શકે છે






Latest News