મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ દ્વારા રવિશંકર મહારાજના નિર્વાણ દિને બે પ્રોજેક્ટો યોજાયા


SHARE







મોરબીમાં લાયન્સ કલબ દ્વારા રવિશંકર મહારાજના નિર્વાણ દિને બે પ્રોજેક્ટો યોજાયા

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જેમણે ૨૫ વર્ષથી સેવાની ભાવના સાથે લાયન્સ કલબના પાયાના સભ્ય છે અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તો તેમના સનમાનમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે પ્રોજેક્ટો કરવામાં આવ્યા આ પ્રોજેક્ટો કે જેમણે પોતાનું જીવન સેવાકાર્યમાં જીવન પર્યનત સમર્પિત કર્યું છે એવા રવિશંકર મહારાજના નિર્વાણ દિને ગૌશાળા પ્રા.શાળાના વિદ્યાર્થીઓને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગૌશાળા પ્રાથમિક શાળામાં ધો ૬, ૭ અને ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો ત્યારે સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શૈલેષભાઈ કાલરીયા અને નાનજીભાઈ મોરડીયાએ સેવા આપી હતી અને પહેલા આવેલા ત્રણ બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ તમામ વિદ્યાર્થીઓને વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સેવાકીય કાર્યમાં પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ટી.સી.ફુલતરિયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા






Latest News