યુદ્ધની અસર: મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો, વેસ્ટ પેપરની આવક બંધ, ઉદ્યોગ ઑક્સીજન ઉપર આવી ગયો મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકામાં આવતા હીરાસરીના માર્ગને રીપેરીંગ કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબી નગરપાલિકામાં આવતા હીરાસરીના માર્ગને રીપેરીંગ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
 
મોરબી નગર પાલિકામાં આવતા રવાપર રોડ નરસંગ ટેકરી મંદિરની પાછળનો રોડ કેજે હીરાસરીના માર્ગ તરીકે ઓળખાય છે તે માર્ગને રીપેરીંગ કરાવવા બાબતે
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્રારા રાજયના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજૂઆત કરીને યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.
 
વધુમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવા (કે.ડી.બાવરવા) એ જણાવેલ છેકે આ હિરાસરીના માર્ગના રોડને સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવામાં આવેલ હતો.પરંતુ જયારે બનાવેલ ત્યારે પણ આ પોડ બાબતે લોકો દ્રારા ફરિયાદો કરવામાં આવી હતી અને આ રોડનું કામ નબળું કરેલ હતું ત્યાર બાદ આ રોડને વારંવાર ખોદવામાં આવેલ છે. ત્રણ  લાઈનો નાખવામાં આવેલ ત્યારે પણ આ રોડ ખોદવામાં આવેલ તેમજ હમણાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન નાખવામાં આવેલ જેના માટે પણ આ રોડને વધુ એક વખત ખોદવામાં આવેલ જેથી કરીને આ રોડની હાલત એ હદે બીસ્માર થઇ ગયેલ છેકે સારી રીતે પગપાળા પણ ન ચાલી શકાય..!
 
હાલમાં ઉમીયા સર્કલથી રફાળેશ્વર રોડનું કામ ચાલુ છે. આમાં પણ ડાયવર્ઝનમાં લોકો પરેશાન થાય છે.તેમજ આ હીરાસરીનો માર્ગ કેજે તે રોડને ક્રોસ કરે છે તેનો લોકો વધુ ઉપયોગ કરતા હોય આ રોડને તાત્કાલિક રીપેરીંગ કરાવવો જરૂરી બન્યુ છે. આ હિરાસરીનો માર્ગ રીપેરીંગ થાય તે માટે લગત વિભાગને યોગ્ય આદેશો આપીને તાત્કાલિક રોડ રીપેરીંગનું કામ શરૂ કરાવવા મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવાયેલ છે.આ રોડ બાબતે મોરબી નગરપાલિકા કંઈ કરતી ન હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. તો જલ્દી કામ ચાલુ થાય તે બાબતે યોગ્ય કરવા અન્યથા સ્થાનિકોને સાથે રાખીને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની પડશે તેમ અંતમાં કે.ડી.બાવરવાએ જણાવ્યું છે.





Latest News