મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

હળવદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો


SHARE















હળવદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન વૈજનાથ મંદિર હળવદ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવ, મુખ્ય વક્તા તરીકે સ્વામી ભક્તિનંદન સ્વામી (જૂનું ટાવર વાડું સ્વામિનારાયણ મંદિર હળવદ), રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના કા.અધ્યક્ષ પ્રવીણભાઈ ધોળુ, જિલ્લા સહકાર્યવાહ સુરેન્દ્રનગર નિલેશભાઈ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદના અધ્યક્ષ વાસુદેવભાઇ ભોરણીયા, રાજ્ય કારોબારી કરશનભાઈ ડોડીયા,નટુભાઈ પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મંત્રી રાજુભાઇ ગોહિલ વગેરે મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો આ તકે તમામ આગેવાનો અને સંતોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  હળવદ તાલુકાના કોષાધ્યક્ષ અને સીઆરસી કો.ઓ. માલણીયાદ હરમિતભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતુ






Latest News