મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે છરી સાથે ફોટો પડતાં શખ્સે સમું કેમ જોવે છે કહીને યુવાનને છરી-પાઇપ વડે માર માર્યો


SHARE







મોરબીના લાલપર પાસે છરી સાથે ફોટો પડતાં શખ્સે સમું કેમ જોવે છે કહીને યુવાનને છરી-પાઇપ વડે માર માર્યો

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે બસ સ્ટેન્ડ નજીક નાસ્તાની લારીએ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હાલમાં વળતી ફરિયાદ નોંધાઇ છે જેમાં છરી સાથે ફોટો પાડનારા આરોપી સામે જોતા ફરિયાદીને સામું કેમ જુઓ છો તેવું કહીને ગાળો આપી હતી ત્યારબાદ પેટના ભાગે છરી વડે ઈજા કરી હતી અને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલ વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ યદુનંદન સોસાયટી શેરી નં-૧ માં રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા ભગીરથસિંહ વીરભદ્રસિંહ ચુડાસમા જાતે દરબાર (૪૧) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ અને હમીરભાઇ રહે. બંને મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, લાલપર ગામે બસ સ્ટેશનની પાસે નાસ્તાની લારીએ તે નાસ્તો કરવા માટે ગયો હતો ત્યારે આરોપીઓ ત્યાં છરી સાથે ફોટો પાડતા હતા અને તેની સામે ફરિયાદીએ જોતા આરોપીઓએ સામું કેમ જુઓ છો તેવું કહીને ગાળો આપી હતી અને દિનેશના હાથમાં રહેલ છરી વડે ફરિયાદીને પેટના ભાગે ઇજા કરી હતી અને હમીરભાઈએ પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા ભગીરથસિંહ ચુડાસમાને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે દિનેશભાઈ અને હમીરભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી યાદ કરી છે અત્રે ઉલ્લેખનીએ છે કે મારામારીના આ બનાવ સંદર્ભે ગઈકાલે દિનેશભાઈએ ચાર શખ્સોની સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી આમ આ બનાવમાં સામસામે ફરિયાદો નોંધાતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News