માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના માટેલ રોડે સીરામીક યુનિટની છત ઉપરથી નીચે પડતા યુવાનનું મોત


SHARE













મોરબીના માટેલ રોડે સીરામીક યુનિટની છત ઉપરથી નીચે પડતા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામે માટેલ રોડ ઉપર સીરામીક યુનિટમાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં સીરામીક યુનિટની અંદર છત ઉપરથી નીચે પડી જતા મોરબીના યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપર રોલ્ટા સીરામીક નામના યુનિટની છત ઉપરથી કોઇ રીતે નીચે પડી જવાથી રણજીત ભરતભાઈ ડાભી (ઉમર ૨૨) રહે.મફતિયાપરા વિદ્યુતનગર પાસે સર્કિટ હાઉસની સામે સામાકાંઠે મોરબી-૨ નું મોત નિપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હોય સીટી એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોય વાંકાનેર પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ નજીક નવા પોલીસ કવાટર નજીકથી જઈ રહેલા રાજેશભાઈ પરસોત્તમભાઈ ઠક્કર (ઉમર ૪૩) રહે. નંદવાણા ઢોરો વાંકાનેર વાળાને અજાણ્યા બાઈક વાળાએ પાછળથી હડફેટે લેતા ઇજા પામેલા રાજેશભાઈ ઠક્કરને તેમના જીજાજી દીપકભાઈ ગોવાણી દ્વારા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બનાવને પગલે હોસ્પિટલ તરફથી જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે.

આધેડ સારવારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા કંકાવટી ગામના વતની અમરાભાઇ દેવાભાઈ મુંધવા નામના ૫૦ વર્ષના આધેડ મોરબીના રાપર ગામે સિમ વિસ્તારમાં ભેંસ ચરાવી રહ્યા હતા ત્યારે તેઓનો પગ કાદવમાં લપસીને પડી જવાથી ઈજા પામતા તેમને સારવાર માટે હળવદની યુનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી કાગળ આવતા હાલ તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર રહેતો બિનોદ ગણેશભાઈ સોની નામનો ૧૨ વર્ષનો બાળક મોરબીના રવાપર રોડ એવન્યુ પાર્કના ગેઇટ પાસેથી સાયકલ લઈને જતો હતો ત્યારે તે સાયકલમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.






Latest News