માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ


SHARE













મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં એનએસએસ યુનિટ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વકૃત્વ સ્પર્ધામાં ભાર વગરનું ભણતર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ભવિષ્ય માટે વરદાન કે અભિશાપ અને સ્ત્રી શિક્ષણ વિષય રાખવામા આવ્યો હતો જેમાં હેતલબેન ત્રિભુભાઈ, ગોગરા મુન્ના જીલુભાઈ અને વસોયા દર્શનકુમાર સુરેશભાઈ વિજેતા બનેલ છે અને નિબંધ સ્પર્ધામાં નવી શિક્ષણ નીતી વિષય પર હડિયલ પૂજા, સંચાણિયા કૃપાલી અને મકવાણા ઉન્નતિ વિજેતા બનેલ છે તો ચિત્ર સ્પર્ધામાં સોનારા શીતલ ભરતભાઈ, રાઠોડ માધવી રાણાભાઈ અને કાલીયા હરેશ મનસુખભાઈ વિજેતા બનેલ છે ત્યારે વકૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધામાં ડો. અનિલસિંહ રાજપુત, ડો. રામભાઈ વારોતરીયા તેમજ ચિત્ર સ્પર્ધામાં કિશોર વાઘાણીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ ત્રણેય સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતે યોજાનારી યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.






Latest News