મોરબી જિલ્લાના શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ માટે ચુંટણી અધિકારીની કરાઇ રજૂઆત
SHARE
મોરબી જિલ્લાના શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ માટે ચુંટણી અધિકારીની કરાઇ રજૂઆત
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગઇકાલે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર મોરબીને મુખ્ય નિર્વાચન અધિકારીઓની સમિતિ દ્વારા સુચવ્યા મુજબ બી.એલ.ઓ. તરીકેની કામગીરીમાં શિક્ષકોને અનિવાર્ય ન હોય તેટલે અંશે નહિ સોંપવા રજુઆત કરવામાં આવેલ છે
શિક્ષકો દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીને પરિણામે બાળકોના શિક્ષણને થતી ગંભીર અસરો પરત્વે ધ્યાન દોરવામાં આવેલ હતું અને ભારતના ચુંટણી પંચ દ્વારા નિમાયેલ નિયત સમિતિના સુચવ્યા મુજબ બી.એલ.ઓ. તરીકેની કામગીરી આંગણવાડીના કાર્યકરો, તલાટી, મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, વિગેરેને સોંપી શકાય છે. જેથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેકટર જી.ટી. પંડયાને ચુંટણી પંચની કામગીરી શાળાના બાળકોના ભવિષ્યના હિત ખાતર શિક્ષકો સિવાયના સરકારી, અર્ધ સરકારી કર્મચારીઓને સોંપવા માટે લિખિત રજૂઆત કરવામાં આવેલ છે. ત્યારે કલેકટર દ્વારા પણ શિક્ષણકાર્યની મહત્વતા સમજીને હકારાત્મક અભિગમ દાખવીને જરૂરી પગલાં લેવાં આશ્વાસન આપવામાં આવેલ છે. ત્યારે સત્વરે બી.એલ.ઓ. તરીકેની કામગીરીમાંથી શિક્ષકોને હળવાસ મળે તેવી આશા છે.









