મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ માટે ચુંટણી અધિકારીની કરાઇ રજૂઆત


SHARE









મોરબી જિલ્લાના શિક્ષકોને બીલઓની કામગીરીમાંથી મુક્તિ માટે ચુંટણી અધિકારીની કરાઇ રજૂઆત

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગઇકાલે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર મોરબીને મુખ્ય નિર્વાચન અધિકારીઓની સમિતિ દ્વારા સુચવ્યા મુજબ બી.એલ.ઓ. તરીકેની કામગીરીમાં શિક્ષકોને અનિવાર્ય ન હોય તેટલે અંશે નહિ સોંપવા રજુઆત કરવામાં આવેલ છે

શિક્ષકો દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીને પરિણામે બાળકોના શિક્ષણને થતી ગંભીર અસરો પરત્વે ધ્યાન દોરવામાં આવેલ હતું અને ભારતના ચુંટણી પંચ દ્વારા નિમાયેલ નિયત સમિતિના સુચવ્યા મુજબ બી.એલ.ઓ. તરીકેની કામગીરી આંગણવાડીના કાર્યકરો, તલાટી, મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, વિગેરેને સોંપી શકાય છે. જેથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેકટર જી.ટી.  પંડયાને ચુંટણી પંચની કામગીરી શાળાના બાળકોના ભવિષ્યના હિત ખાતર શિક્ષકો સિવાયના સરકારી, અર્ધ સરકારી કર્મચારીઓને સોંપવા માટે લિખિત રજૂઆત કરવામાં આવેલ છે. ત્યારે કલેકટર દ્વારા પણ શિક્ષણકાર્યની મહત્વતા સમજીને હકારાત્મક અભિગમ દાખવીને જરૂરી પગલાં લેવાં આશ્વાસન આપવામાં આવેલ છે. ત્યારે સત્વરે બી.એલ.ઓ. તરીકેની કામગીરીમાંથી શિક્ષકોને હળવાસ મળે તેવી આશા  છે. 






Latest News