મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના સપૂત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સરકાર સન્માનિત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરશે


SHARE













ટંકારાના સપૂત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સરકાર સન્માનિત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરશે

આપણો દેશ આઝાદીના અમૃતકાળની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે હાલ સમગ્ર દેશમાં દેશના વીરો ને વિરાંજલી અર્પણ કરવાના આશય સાથે સરકાર દ્વારા મારી માટી મારો દેશઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ દેશના અનેક વીરો અનેક મહાપુરુષો કે  જેમણે આઝાદીની લડતમાં, દેશને સ્વાધીનતા અપાવવામાં તેમજ રાષ્ટ્ર ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી હોય અને દેશ માટે શહીદી વહોરી હોય તેવા વીરોને શત શત વંદન કરવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે દેશ કે આપણે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર તપોભૂમિ ટંકારાના તત્વચિંતકશ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને કેમ ભૂલી શકાય ? નાના એવા ટંકારાની પાવન ભૂમિ પર જન્મેલા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીજી વિશ્વમાં ટંકારાનું નામ મોટું કરી ગયા. જેમને સરદાર વલ્લભભાઈ પટેલે સ્વાધીનતાના મહત્વના પાયોનીયર પૈકીના એક કહ્યા છે એવા દયાનંદ સરસ્વતીએ દેશને સ્વાધીનતા તરફ લઈ જવામાં એક અહેમ ભૂમિકા અદા કરી છે. સ્વતંત્રતાની ચળવળના અનેક લડવૈયાઓ અને ઘડવૈયાઓ મહર્ષિના શિષ્યો હતા અને માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની તેમની દેશ દાઝને વધુ તેજવાન બનાવવામાં પણ મહર્ષિની એક અગત્યની ભૂમિકા રહી છે.

આ બાબતે ટંકારા મહર્ષિ દયાનંદ જન્મસ્થળના મંત્રી દેવજીભાઈ પડસુંબિયા જણાવે છે કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના રાષ્ટ્ર ભાવનાના ગુણ તેમની પાસે તૈયાર થયેલા શિષ્યોમાં ઊતર્યા હતા. શહીદ ભગતસિંહ, લાલા લજપતરાય, અશફાક ઉલ્લાખાન, રામપ્રસાદ બિસ્મિલ આ તમામ દેશભક્તો મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના પરમ શિષ્યો હતા. આ તમામ આઝાદીના લડવૈયાઓએ દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું જેની પાછળ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની પ્રેરણાએ મહત્વની ભૂમિકા ભજવી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને એક વખત એક અંગ્રેજ અધિકારીએ પ્રશ્ન પૂછ્યો કે, સ્વામીજી તમે આઝાદીની વાતો કરો છો, પરંતુ અંગ્રેજો દ્વારા દેશ આઝાદ કરી દેવામાં આવે તો તમારો દેશ સારી રીતે ચલાવી નહીં શકાય. ત્યારે તેમણે સરસ જવાબ આપ્યો કે, અમને સુરાજ્ય કરતા સ્વરાજ વધારે વહાલું છે. ભારતના જ વ્યક્તિ દ્વારા અમારું રાજ્ય ચલાવવામાં આવે એવી હંમેશા મેં ખેવના રાખી છે. 






Latest News