ટંકારાના હરબટીયાળી શાળા ખાતે બાળકોને પ્રેક્ટીકલ જ્ઞાન માટે લાઈફ સ્કીલ મેળો યોજાયો
SHARE
ટંકારાના હરબટીયાળી શાળા ખાતે બાળકોને પ્રેક્ટીકલ જ્ઞાન માટે લાઈફ સ્કીલ મેળો યોજાયો
દર વર્ષે સરકારી સ્કૂલોમાં બાળમેળો અને લાઇફ સ્કીલ મેળો ઉજવવામાં આવે છે.તેના ભાગ રૂપે ટંકારાની હરબટીયાળી પ્રા.શાળામાં આ વર્ષે અલગ સંદેશો આપતો લાઇફ સ્કીલ મેળો યોજવામાં આવ્યો હતો.અત્યારના રેડ્ડીનેઇડ યુગમાં બધું જ તેયાર મળે છે.એટલે સુધી કે લોટ પણ રેડ્ડી મળે છે.ત્યારે આજની જનરેશનને સંદેશો આપવા માટે આ મેળામાં રોટલા બનાવવા, અનાજને સૂપડે ચડાવી સાફ કરવું, ઝાટકવું, સિલાઈ કામ કરવું , ભરત ભરવું વિગેરે જેવા અનેક સ્ટોલ ઊભા કરી આજની પેઢીને પહેલાના જમાનાની યાદ અપાવવામાં આવી હતી.આ તકે શાળાના આચાર્ય કુંદનબેન જાનીએ આયોદનમાં સહયોગી બનેલ સૌને શુભેચ્છા પાઠવી હતી.