ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રેલ્વેની સુવિધાઓ વધારવા ડીઆરએમને રજૂઆત


SHARE













મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રેલ્વેની સુવિધાઓ વધારવા ડીઆરએમને રજૂઆત

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા વેસ્ટર્ન રેલ્વે રાજકોટના ડી.આર.એમ. સાથે યોજાયેલ જુદાજુદા એસો.ના પ્રતિનિધિની મિટિંગમાં મોરબી જિલ્લાના લોકોની રેલવેની સુવિધાઓમાં વધારો થાય તેના માટેની રજૂઆત કરવામાં આવી છે

વેસ્ટર્ન રેલ્વે રાજકોટના ડી.આર.એમ. અનિલ જૈનના અધ્યક્ષ સ્થાને મોરબી રેલવેના વિવિધ પ્રશ્નો અને વિકાસ માટેની મીટીંગ તાજેતરમાં યોજાઈ હતી આ મિટિંગમાં મોરબીના જુદા જુદા ઉદ્યોગિક એસો.ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ દ્વારા જુદી જુદી રજૂઆત કરવામાં આવી હતી જેમાં મોરબી નજરબાગ, વાંકાનેર, માળીયા મીયાણા, હળવદ રેલ્વે સ્ટેશનની આધુનિક બનાવવા,  કચ્છ થી મુંબઈ, દિલ્લી અને ચેન્નઈ જતી લાંબી અંતરની ટ્રેનોને વાયા મોરબી થઈ ચલાવવી, રાજકોટ જામનગર પોરબંદરથી લાંબા અંતરની ટ્રેનો વાંકાનેર થઈને ચાલે છે તેમાં વાંકાનેરને સ્ટોપ આપવામાં આવે અને મોરબી વાંકાનેર વચ્ચેની રેલવે ફાટકને પોહળી કરી ટ્રાફિક સમસ્યા નિવારવા માટેની રજૂઆત કરી છે  અને મોરબી જિલ્લાના આધુનિક વિકાસને ધ્યાનમાં લઇ રેલવે કન્ટેનર ડીપો આધુનિક અને વિશાળ બનાવવાની માંગ કરેલ છે








Latest News