મોરબીમાં દીકરાનું દેણું વધી ગયાની ચિંતામાં વૃદ્ધાએ અંતિમ પગલું ભર્યું
વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે મેળનું મંત્રીઓના હસ્તે કરવામાં આવશે ઉદ્ઘાટન
SHARE
વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે મેળનું મંત્રીઓના હસ્તે કરવામાં આવશે ઉદ્ઘાટન
શ્રવણ મહિનામાં શિવા ભક્તો દ્વારા શિવાજીનું દુધાભીષેક, બીલીપત્ર, પુષ્પ, અબીલ ગુલાલથી પૂજન આર્ચન કરવામાં આવતું હોય છે જો કે, શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળા યોજવામાં આવે છે પરંતુ સૌ પ્રથમ મેળો મોરબી જીલ્લામાં આવેલ રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ છે આવી જ રીતે આ વર્ષે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને ભાનુબેન બાબરિયાના હસ્તે કરવામાં આવશે
શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો કહેવામાં આવે છે અને શિવભક્તો આ મહિનામાં શિવ માય બની જાય છે જો કે, શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોચે પરંતુ ભારતમાં સૌ પ્રથમ લોકમેળો મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં સજનપર ગામથી આશરે ૩ કિમિ દૂર આવેલા જડેશ્વર મહાદેવ કે જે રત્ન ટેકરી ઉપર સ્વયંભૂ પ્રગટ થયા છે. તેના સાનિધ્યમાં યોજાઈ છે આ મેળાનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે જેનું રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને ભાનુબેન બાબરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે જો કે, તે ઉપરાંત સાંસદ મોહનભાઇ કુંડારિયા અને કેશરિદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા અને રિવાબા જાડેજા પણ હાજર રહેવાના છે અને તા ૨૭/૮ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેવું ત્યાના મહંત રતિલાલજી રવિશંકર ત્રિવેદી અને લઘુમહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર, મોરબી તથા ટંકારા તાલુકાના ત્રીભેટ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે શિવજીની પૂજા કરવા માટે શ્રાવણ મહિનામાં લોકો ઉમટી પડે છે અને ત્યારે ત્યાં યોજાતા બે દિવસીય મેળાનો પણ લાભ લેતા હોય છે