વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે મેળનું મંત્રીઓના હસ્તે કરવામાં આવશે ઉદ્ઘાટન
મોરબીના રામધન આશ્રમે ગોપીઓ માટે કુંડમાં સ્નાન-ફરાળની વ્યવસ્થા કરાઇ
SHARE
મોરબીના રામધન આશ્રમે ગોપીઓ માટે કુંડમાં સ્નાન-ફરાળની વ્યવસ્થા કરાઇ
પરષોતમ માસ નિમિતે ગોપીઓ માટે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે પવિત્ર કુંડમાં સ્નાન અને ફરાળ-પ્રસાદ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો મહેન્દ્રનગર, મોરબી અને આસપાસના ગામની ગોપીઓએ લાભ લીધો હતો અને આશ્રમમાં સેવક બહેનો-ભાઈઓએ ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રોયલ પાર્ક ગોપી મંડળ દ્વારા આશ્રમની ગૌશાળામાં લાડુ, મારૂતિ ગોપી મંડળ અને રામધન ધૂન મંડળ દ્વારા ઘાસચારો આપવામાં આવેલ છે તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે