મોરબીના સિરામિક ઉદ્યોગમાં આ વર્ષે માસિક વેકેશન નહીં ?: જીવીટીની માંગ ટોપ ગિયરમાં, બાકી બધુ તળિયે !
મોરબીમાં દીકરાનું દેણું વધી ગયાની ચિંતામાં વૃદ્ધાએ અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબીમાં દીકરાનું દેણું વધી ગયાની ચિંતામાં વૃદ્ધાએ અંતિમ પગલું ભર્યું
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી પસાર થતી કાલીન્દ્રી નદીમાં પાડીને વૃદ્ધાએ આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના બોડીને પાણીમાંથી કરીને પીએમ માટે સિવિલે લઈ ગયા હતા અને મૃતક મહિના દીકર ઉપર દેણું થઈ ગયેલ હતું જેની ચિંતામાં તેને અંતિમ પગલું ભરી લીધું હોવાની માહિતી હાલમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી પસાર થતી કાલીન્દ્રી નદીમાં ગઇકાલે સાંજ સમયે એક મહિલા પડી હતી જેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને અને પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ અને ફાયરની ટિમ તાત્કાલિક ત્યાં પહોચી હતી અને મહિલાને બહાર કાઢવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા આ ઘટનાની મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની તપાસ કરી રહેલા વાલભા ચાવડા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, મૃતક મહિલાનું નામ વિજયાબેન પ્રભુભાઈ પડ્સુંબીયા (૬૦) છે અને તે મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુ કૃપા સોસાયટીમાં રહેતા હતા તેના દીકરા ઉપર થઈ ગયેલા દેણાની ચિંતામાં મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે