મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી ગાંજાના પૌસ ડોડા સાથે પકડાયેલ આરોપી જામીન મુક્ત


SHARE













વાંકાનેર તાલુકામાંથી ગાંજાના પૌસ ડોડા સાથે પકડાયેલ આરોપી જામીન મુક્ત

વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસે વાડીમાંથી ૨૨૨ કીલો તથા ૮૧૦ ગ્રામ માદક પદાર્થ પૌસ ડોડા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકામાં કેસ કરવામાં આવ્યો હતો જે કેસમાં આરોપીની જામીઅરજી મોરબીની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન ઉપર છોડવાનો આદેશ કરેલ છે

આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે વાંકાનેર તાલુકા પોલીસે ૨૨૨ કીલો ૮૧૦ ગ્રામ માદક પદાર્થ પોસ ડોડા સાથે આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયા રહે. ભલગામ તાલુકો વાંકાનેર વાળાની સામે એન.ડી.પી.એસ. એકટ ની કલમ ૮ (સી), ૧૫ (સી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ગુન્હાના કામે તેની અટક કરી અને આરોપીને જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવેલ હતો અને તેની જામીન અરજી આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. એનડીપીએસ તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં કરી હતી અને રેગ્યુલ૨ જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી તેમાં વકીલ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને મોરબી જીલ્લાના સ્પે. એનડીપીએસ તથા સેશન્સ જજ પી. સી. જોષી સાહેબ દ્વારા આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયાને ૧૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન આપેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા






Latest News