મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા


SHARE







મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જે અંતર્ગત કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપકો પ્રોફેસર જિંનદાસ ગાંધી અને પ્રોફેસર અવચરભાઈ ગોધાણી કે જેઓએ વય નિવૃત્તિ બાદ પણ આ કોલેજમાં ૧૫ વર્ષથી વધુ શિક્ષણ કાર્યમાં સેવા આપી છે અને જેમની પાસે મોરબીની ત્રણ ત્રણ પેઢીઓએ અભ્યાસ કરેલો છે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો તેમજ તેજસ્વીતા અભિવાદન સમારોહ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ યુનિવર્સિટી કક્ષાએ પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો અને સાથે સાથે આજના યુવાનો માટે મોરબીના અગ્રણી તબીબ અને લેખક એવા ડોક્ટર સતિષભાઈ પટેલની એક મોટીવેશન ટોક યોજાઇ હતી. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા. તેજસ્વીતા અભિવાદન સમારોહ અંતર્ગત તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પી.જી. પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, સંસ્થાના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ, વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News