ટંકારાના હડમતિયા સહિતના ગામોને મચ્છુ -૧ ડેમમાથી સિંચાઈનુ પાણી આપવાની ધારાસભ્યને રજૂઆત
મોરબી સહિત રાજ્યના સસ્તા અનાજની દુકાનદારોની કમિશનની માંગણી સરકારે સ્વિકારી
SHARE
મોરબી સહિત રાજ્યના સસ્તા અનાજની દુકાનદારોની કમિશનની માંગણી સરકારે સ્વિકારી
ટંકારા તાલુકા અને મોરબી જિલ્લા સહિત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદાર દ્વારા ચાલુ મહિને પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર સટડાઉન સાથે અસહકાર ચળવડ ઉપર ગયેલા હતા ત્યાર બાદ રાજ્ય સંગઠન સાથે સરકારે સાનુકૂળ વાતાવરણમાં પુરવઠા સચિવ હાજરીમાં મીટીંગ થઈ હતી અને ગુજરાતના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરીયા દ્વારા માંગણીઓ બાબતે ૨૦ હજાર મિનિમમ કમિશનની માંગણીનો સ્વીકાર કર્યો છે
જેથી અસહકાર ચળવડનો અંત લાવી દુકાનો ચાલુ માસમાં સપ્ટેમ્બર ૨૦૨૩ થી શરૂ કરી દેવાની સંગઠને જાહેરાત કરી છે વ્યાજબી ભાવના દુકાનદારોને હડતાલનો સાનુકૂળ અંત આવ્યો છે માટે ચાલુ માસમાં રાબેતા મુજબ રાશનીગ જથ્થો મળી જશે. આ હડતાલને સફળ બનાવવામાં મોરબી જિલ્લાના દરેક દુકાનદારનો જિલ્લા પ્રમુખ પંકજભાઈ સબાપરા, મહામંત્રી આપાભાઈએ એફપીએસ એશોએશિયન વતી આભાર વ્યક્ત કર્યો છે.