ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે પેપર મીલમાં દાદરા ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત


SHARE











મોરબીના રફાળેશ્વર પાસે પેપર મીલમાં દાદરા ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ પેપર મીલમાં નવી બનતી ઓડિ પાસે દાદરા પરથી નીચે પટકાયેલા યુવાનને સારવાર માટે મોરબીથી રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મજૂર યુવાનનું સારવારમાં મોત નીપજ્યું છે જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીક રફાળેશ્વર ગામ પાસે આવેલ સરજુ પેપર મીલમાં ઓરડીમાં દસ પંદર ફૂટના દાદરા ઉપરથી નીચે પટકાયેલા મૂળ યુપીના રહેવાસી અને હાલમાં સરજુ પેપર મિલની ઓરડીમાં રહેતા ભોયાલાલ રામભવન રોહિતદાસ (૪૧) ને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા ભોયાલાલ રોહિદાસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને ચુનીલાલ હીરાલાલ રોહિતદાસ (૩૧) રહેહાલ સરજુ પેપર મીલ વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવવાની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News