મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં ઘરે પહેલા માળેથી નીચે પટકાયેલા આધેડનું સારવારમાં મોત


SHARE

















મોરબીના માધાપરમાં ઘરે પહેલા માળેથી નીચે પટકાયેલા આધેડનું સારવારમાં મોત

મોરબી શહેરના માધાપર વિસ્તારમાં શેરી નં-૨૨ ની અંદર રહેતા આધેડે પોતાના ઘરે પહેલા માળેથી કોઈ કારણોસર નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને અમદાવાદ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના માધાપરા શેરી નં-૨૨ ની અંદર રહેતા વનરાજસિંહ નટુભા ઝાલા (૫૦) પોતાના ઘરે પહેલા માળેથી નીચે પટકાયા હતા જેથી તેઓને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ જલારામ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવના કાગળો અમદાવાદથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા પોલીસે હાલમાં અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News