મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ભગતસિંહના જન્મદિવસે યુવાનોને અંગદાન-દેહદાન માટે જાગૃત કરાશે


SHARE







મોરબીમાં ભગતસિંહના જન્મદિવસે યુવાનોને અંગદાન-દેહદાન માટે જાગૃત કરાશે

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસે યુવાનોને અંગદાન અને દેહદાન કરવા અંગે જાગૃત કરવામાં આવશે અને ઇચ્છીત યુવાનો દ્વારા અંગદાન અને દેહદાનનો સંકલ્પ કરી શહીદ ભગતસિંહનો જન્મદિવસ સંકલ્પ દિન તરીકે ઉજવાશે

મોરબીમાં આગામી તા ૨૮ ના રોજ શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને યુવાનોને અંગદાન અને દેહદાન કરવા બાબતે જાગૃત કરવામાં આવશે તેમજ કેટલાક યુવાનો દ્વારા અંગદાન અને દેહદનનો સંકલ્પ કરવામાં આવશે જે યુયાવનો અંગદાન અને દેહદાન માટે સંકલ્પ કરવા માટે ઇચ્છિત હોય તેના નામ અને સપર્ક નંબરની માહિતી યંગ ઇન્ડિયા ગ્રુપનાં નંબર ૯૧૩૭૮૯૧૩૭૮ વ્હોટાએપનાં માધ્યમથી મોકલી આપવા જણાવ્યુ છે આ અંગે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે પેઢી દર પેઢી દરેક યુવાનો માટે શહીદ ભગતસિંહનો દેશપ્રેમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તેવી ભાવના સાથે આ કાર્યક્ર્મ કરવામાં આવી રહ્યો છે આજે દેશમાં કેટલાય દર્દીઓના અંગો અકસ્માતે અન્ય કોઈ કારણોસર ખરાબ થઈ જવાથી મોતને ભેટે છે જોકે મૃત્યુ બાદ અંગોનું વધુને વધુ દાન થાય તે માટે યુવાનોમાં જાગૃતિની જરૂર છે. 






Latest News