ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ભગતસિંહના જન્મદિવસે યુવાનોને અંગદાન-દેહદાન માટે જાગૃત કરાશે


SHARE











મોરબીમાં ભગતસિંહના જન્મદિવસે યુવાનોને અંગદાન-દેહદાન માટે જાગૃત કરાશે

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસે યુવાનોને અંગદાન અને દેહદાન કરવા અંગે જાગૃત કરવામાં આવશે અને ઇચ્છીત યુવાનો દ્વારા અંગદાન અને દેહદાનનો સંકલ્પ કરી શહીદ ભગતસિંહનો જન્મદિવસ સંકલ્પ દિન તરીકે ઉજવાશે

મોરબીમાં આગામી તા ૨૮ ના રોજ શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને યુવાનોને અંગદાન અને દેહદાન કરવા બાબતે જાગૃત કરવામાં આવશે તેમજ કેટલાક યુવાનો દ્વારા અંગદાન અને દેહદનનો સંકલ્પ કરવામાં આવશે જે યુયાવનો અંગદાન અને દેહદાન માટે સંકલ્પ કરવા માટે ઇચ્છિત હોય તેના નામ અને સપર્ક નંબરની માહિતી યંગ ઇન્ડિયા ગ્રુપનાં નંબર ૯૧૩૭૮૯૧૩૭૮ વ્હોટાએપનાં માધ્યમથી મોકલી આપવા જણાવ્યુ છે આ અંગે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે પેઢી દર પેઢી દરેક યુવાનો માટે શહીદ ભગતસિંહનો દેશપ્રેમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તેવી ભાવના સાથે આ કાર્યક્ર્મ કરવામાં આવી રહ્યો છે આજે દેશમાં કેટલાય દર્દીઓના અંગો અકસ્માતે અન્ય કોઈ કારણોસર ખરાબ થઈ જવાથી મોતને ભેટે છે જોકે મૃત્યુ બાદ અંગોનું વધુને વધુ દાન થાય તે માટે યુવાનોમાં જાગૃતિની જરૂર છે. 






Latest News