લવ જેહાદ સામે આકોશ: કાલે ટંકારા સજ્જડ બંધ, રેલી યોજી આવેદનપત્ર અપાશે
SHARE
લવ જેહાદ સામે આકોશ: કાલે ટંકારા સજ્જડ બંધ, રેલી યોજી આવેદનપત્ર અપાશે
ટંકારા તાલુકામાં લવ જેહાદની ઘટનાઓ વધી રહી છે ત્યારે કાલે સવારે વેપારીઓ સ્વયંભૂ પોતાની દુકાનોને બંધ રાખીને બંધ પાળશે અને ત્યાર બાદ ટંકારામાં રેલી યોજીને ટંકારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે
સમસ્ત ટંકારા તાલુકાની જાહેર જાણતા માટે એક મેસેજ હાલમાં સોશિઅલ મીડિયામાં મૂકવામાં આવેલ છે જેમાં ટંકારા પંથકમાં વધતાં જતાં લવ જેહાદ માટે આગોતરુ આયોજન કરવાનું છે અને ટંકારા ટાઉનમાં બનેલ બનાવને ગંભીરતાથી લેવા માટે કાલે તા ૧૮ સપ્ટેમ્બરને સોમવારે સવારે ૧૦ વાગ્યે ટંકારા દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈને રેલી યોજી મામલતદાર ટંકારાને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવશે જેથી કરીને સૌ હિન્દુ સમાજ, રાજકીય અગ્રણી, સામાજિક કાર્યકરો અને તાલુકાવાસીઓને આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે અને વેપારી મિત્રોને સ્વયંભૂ સવારથી બપોર સુધી પોતાની દુકાનોને બંધ રાખીને રેલીમાં જોડાશે









