મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ ભગતસિંહના જન્મદિનની અનોખી ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં શહીદ ભગતસિંહના જન્મદિનની અનોખી ઉજવણી કરાઇ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પદિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી અને યુવાનો દેહદાન અને અગદાન થકી કોઈની મહામૂલી જિંદગી બચવા માટે આગળ આવે તેવું કામ કરવામાં આવ્યું હતું ત્યારે ૨૧૪ જેટલા યુવાનોએ દેહદાન-અંગદાનના સંકલ્પ લીધો હતો

યંગ ઇન્ડિયા ગ્રુપે ભગતસિંહના જન્મદિવસે મહામૂલી માનવ જિંદગી બચી શકે તે માટે મોટી સંખ્યામાં યુવાનો અંગદાન અને દેહદનનો સંકલ્પ માટે જોડાવા અપીલ કરવામાં આવી હતી ત્યારે ૧૭૪ જેટલા યુવાનોએ અંગદાન અને ૪૦ થી વધુ યુવાનોએ દેહદાન કરવાના સંકલ્પ લીધો હતો અને આમ શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી સાથોસાથ શહેરના ગાંધીચોક ખાતે આવેલ ભગતસિંહની પ્રતિમાને દુગ્ધાભિષેક કરી સ્વચ્છ કરીને ફુલહાર અર્પણ કરીને ભાવવંદના કરવામાં આવી હતી. 






Latest News