ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી નોંધણી શરૂ


SHARE













મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી નોંધણી શરૂ

ટેકાના ભાવે મગફળી ખરીદી માટે કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠક અંતર્ગત ખરીફ સીઝન ૨૦૨૧-૨૨ ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ખેડૂતોની આગોતરી નોંધણી કરાવવી જરૂરી હોવાથી સમગ્ર મોરબી જિલ્લાના ખેડૂતોએ તાલુકાની ગ્રામ્ય કક્ષાએ V.C.E. મારફતે તેમજ સરકારના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તાલુકાના ગોડાઉન પર તારીખ ૧-૧૦-૨૦૨૧ થી તારીખ ૩૧-૧૦-૨૦૨૧ સુધી ખેડૂતોની નોંધણી કરવામાં આવશે અને મોરબી જિલ્લાના સર્વે ખેડૂતોએ નોંધણી કરાવી લેવા ઇનચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક મળશે


મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૬/૧૦/૨૦૨૧ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ આ બેઠકમાં જિલ્લાના જે અધિકારીશ્રેને લગત પ્રશ્નો સંકલનમાં લેવા રજુ થાય તે જ અધિકારીઓએ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે.








Latest News