મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ કરિયાવર બાબતે ત્રાસની પતિ સહિત નવ સામે નોંધાવી ફરિયાદ
મોરબીના નવા બસ સ્ટેશન ખાતે અંબા માતાજીનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
SHARE
મોરબીના નવા બસ સ્ટેશન ખાતે અંબા માતાજીનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આવેલ વર્કશોપમાં અંબા માતાજીનું વર્ષોથી મંદિર છે ત્યાં આગામી બે દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા રાખવામા આવેલ છે જેમાં એસટીના જૂના કર્મચારીઓ સહિતનાઓને આમંત્રિત કરવામાં આવેલ છે
મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આગામી તા. ૨૫ અને ૨૬ ના રોજ એસટી પરિવાર દ્વાર આબે દિવાસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવી છે જેમાં સવારે ૮ વાગ્યે દેહ શુધ્ધિ પ્રાયશ્ચિત, ૯ વાગ્યે ગણેશપુજન, પંચાગ પુણ્ય વાચન યોજાશે. અને બીજે દિવસે સવારે ૯:૧૫ વાગ્યે માતાજીના સામૈયા, ૧૦:૧૫ વાગ્યે માતાજીનો અભિષેક અને મહાપુજા, ૧૧:૩૦ માતાજીના બેસણા અને બપોરે ૩:૩૦ વાગ્યે પુર્ણાહુતિ અને તા ૨૬ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે