મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના કુબેરનગરમાં ઘરમાંથી નસીલી શિરપની ૧૬૮૦ બોટલો ઝડપાઇ


SHARE









મોરબીના કુબેરનગરમાં ઘરમાંથી નસીલી શિરપની ૧૬૮૦ બોટલો ઝડપાઇ

મોરબી શહેરમા દારૂ અને જુગારના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા સમયાંતરે રેડ કરવામાં આવે છે દરમ્યાન મોરબી સીટી એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કુબેરનગર શેરી નં-૩ મા રહેતા હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબારને ત્યનથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની ૧૬૮૦ બોટલ  મળી આવી હતી જેથી પોલીસે ૨,૫૨,૦૦૦ નો જથ્થો કબ્જે કરેલ છે અને સેમ્પલ એફ.એલ.એલ. રીપોર્ટ માટે મોકલાવવામાં આવેલ છે આ આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની બોટલો હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબાર (૨૩) રહે. નવલખી રોડ કુબેરનગર શેરી નં.૩ મોરબી મૂળ રહે. રામપર અબડા તાલુકો નલીયા અને વીક્રમસીંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબાર રહે. નવલખી રોડ કુબેરનગર શેરી નં-૩ મુળ રહે. રામપર અબડા તાલુકો નલીયા વાળા વેચતા હોવાનું સામે આવ્યું છેવ અને રાજકોટના રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ માલ મોકલાવ્યો હોવાનું સામે આવેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ એ.વી.પાતળીયા સહિતની ટીમે કરી હતી






Latest News