આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ કોંગ્રેસની માંગ


SHARE













વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ કોંગ્રેસની માંગ

વાંકાનેર તાલુકાના ચોમાસામાં સતત ૨૮ દિવસ સુધી વરસાદ નથી થયો જેથી કરીને ખેડૂતોને હેરાન થવું પડ્યું છે અને કપાસના પાકમાં પણ નુકશાની આવેલ છે તો પણ ખેડૂતોને સરકારી સહાયનો લાભ મળેલ નથી જેથી કરીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો સરકારી સહાય મળે તેના માટે કોંગ્રેસનાં આગેવાનોએ માંગ કરી છે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડીરેક્ટર શકીલ પીરઝાદા, પ્રદેશ કોંગ્રેસના આગેવાન હરદેવસિંહ ઝાલા, યાર્ડના પ્રમુખ ગુલામભાઈ પરાસરા સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી ત્યારે શકીલ પીરઝાદાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મુખ્યમંત્રી કિશાન સહાય યોજના માટે જે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેમાં ચોમાસામાં ૨૮ દિવસ સુધી સતત વરસાદ ન થયો હોય તો તે યોજનાનો ખેડૂતોને લાભ મળે છે જો કે, ચાલુ વર્ષે ચોસરમાં ૨૮ દિવસમાં વરસાદ પડ્યો ન હતી જે મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની શરત પૂર્ણ કરે છે તો પણ ખેડૂતોને સહાય આપવામાં આવી નથી અને વાંકાનેર યાર્ડ દ્વારા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જવાબ મળ્યો હતો કે, વાંકાનેર તાલુકો મુખ્યમંત્રી કિશાન સહાય યોજનામાં આવે છે તો વરસાદ ન પડવાના કારણે ખેડૂતોને જે નુકશાન થયું છે તેમાં ૩૦ થી ૬૦ ટકા સુધી નુકશાની છે તો સરકાર મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત અથવા તો કોઈ પણ યોજના દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે વધુમાં પ્રદેશ કોંગેસના અને સહકારી ક્ષેત્રના આગેવાન હરદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કિશાન સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખેડૂતોને ખેતઓજાર લેવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે જેના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે જો કે, ખેડૂતોને એક જ દિવસનો સમય આપવામાં આવે છે જેના લીધે ઘણા ખેડૂતો અરજી પણ કરી શકતા નથી જેથી કરીને ખેડૂતોને હેરાન ન થવું પડે તે માટે ઓછામાં ઓછા ૧૦ દિવસનો સમય આપવામાં આવે તેવી ખેડૂતો વતી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે 






Latest News