હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: રિસામણે બેઠેલ પત્ની પછી ન આવતા યુવાને ન કરવાનું કર્યું


SHARE













મોરબી: રિસામણે બેઠેલ પત્ની પછી ન આવતા યુવાને ન કરવાનું કર્યું

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચીમાંડલ ગામ પાસે કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન તેની પત્ની રિસામણે બેઠેલ હોય તેને લેવા માટે ગયો હતો તો પણ તેની પત્ની આવી ન હતી જેથી કરીને તે યુવાનને મનોમન લાગી આવતા તેને પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ અંગેની મૃતકના પિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે કોનોર સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગણેશ્વર રામચંદ્ર જેના જાતે ઓડિયા (૨૮) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરની અંદર પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પિતા રામચંદ્ર બંસીધર જેના જાતે ઓડિયા (૫૩) રહે. ઓડિશા વાળાએ મોરબી તાલુકા પોલીસને આ બનાવ અંગેની જાણ કરી હતી અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે છએક મહિનાથી તેની પુત્રવધૂ રિસામણે બેઠેલ છે જેથી કરીને તેનો દીકરો તેને લેવા માટે તેના વતનમાં ગયો હતો પરંતુ તેની પત્ની પાછી આવી ન હતી જેથી કરીને તે મોરબી મજુરી કામ કરવા માટે થઈને મોરબીમાં કોનોર સિરામિક કારખાના ખાતે આવ્યો હતો અને ત્યાં તેને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે






Latest News