ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની સરકારી કચેરીઓમાં અનુ.જાતિ સાથે ભેદભાવની કલેકટરને રજૂઆત


SHARE













મોરબીની સરકારી કચેરીઓમાં અનુ.જાતિ સાથે ભેદભાવની કલેકટરને રજૂઆત

મોરબી જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓમાં અનું. જાતિ સાથે ભેદભાવ રાખવામા આવે છે જેથી કરીને ભેદભાવ રાખનારા અધિકારીઓની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટર જી.ટી. પંડ્યાને આવેદન આપવામાં આવ્યું છે જેમાં વિનોદભાઈ પરમારે જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં અનુ. જાતિના રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે અવારનવાર ગેરવર્તન કરવામાં આવે છે જેથી કરીને અનુ. જાતિમાં રોષની લાગણી છે અને મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં એક આગેવાનને હડધૂત કરવામાં આવ્યા હતા તેમજ ગોર ખીજડિયા ગામે સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે અને અનુ. જાતિની અનેક જમીનો હડપ કરવામાં આવી છે તે સહિતના પ્રશ્નોમાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી જવાબદાર અધિકારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને અહિંસક આંદોલન કરવાની ચીમકી પણ આગેવાનોએ ઉચ્ચારી છે






Latest News