જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબીની સરકારી કચેરીઓમાં અનુ.જાતિ સાથે ભેદભાવની કલેકટરને રજૂઆત


SHARE













મોરબીની સરકારી કચેરીઓમાં અનુ.જાતિ સાથે ભેદભાવની કલેકટરને રજૂઆત

મોરબી જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓમાં અનું. જાતિ સાથે ભેદભાવ રાખવામા આવે છે જેથી કરીને ભેદભાવ રાખનારા અધિકારીઓની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટર જી.ટી. પંડ્યાને આવેદન આપવામાં આવ્યું છે જેમાં વિનોદભાઈ પરમારે જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં અનુ. જાતિના રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે અવારનવાર ગેરવર્તન કરવામાં આવે છે જેથી કરીને અનુ. જાતિમાં રોષની લાગણી છે અને મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં એક આગેવાનને હડધૂત કરવામાં આવ્યા હતા તેમજ ગોર ખીજડિયા ગામે સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે અને અનુ. જાતિની અનેક જમીનો હડપ કરવામાં આવી છે તે સહિતના પ્રશ્નોમાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી જવાબદાર અધિકારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને અહિંસક આંદોલન કરવાની ચીમકી પણ આગેવાનોએ ઉચ્ચારી છે






Latest News