હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર તેમજ જૂના મકનસર ગામેથી સગીરાઓના અપહરણ


SHARE













મોરબીના ભરતનગર તેમજ જૂના મકનસર ગામેથી સગીરાઓના અપહરણ

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામેથી તેમજ વાકાનેર હાઇવે ઉપર આવેલા જુના મકનસર ગામેથી એમ બે જુદાજુદા વિસ્તારોમાંથી સગીરાઓના અપહરણ થવા બાબતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થતાં તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને સગીરાઓની ભાળ મેળવવા અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ જવામાં આવેલ હોય હાલ ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પીઆઇ કે.એ.વાળા દ્વારા આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની કલમો હેઠળ આરોપી રૂપસિંગ મહેન્દ્રભાઈ ડોડવા રહે.વિલજરી અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાની સામે ગુનો નોંધ્યો છે અને ભોગ બનેલ સગીરાને શોધવા તેમજ આરોપીને પકડવા માટે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અપહરણનો બીજો બનાવ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જૂના મકનસર ગામે બનેલ છે જેમા ત્યાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના પીઆઇ વાળા દ્વારા આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટનૂ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.ભોગ બનનાર પરિવાર દ્વારા એક મોબાઈલ નંબર આપવામાં આવ્યો હોય અને તે મોબાઈલ નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ જૂની પીપળી ગામે રહેતા ભાવનાબેન રવિન્દ્રભાઈ સંઘાણી નામની ૨૫ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનાબેનને તેઓના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજા થઈ હોય સારવારમાં લાવવામાં આવ્યા હતા.

દવા પી જતા સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ રાજેશભાઈ વાઘરોલીયા નામના ૧૮ વર્ષના યુવાને શનાળા રોડ વિનાયક હોન્ડાના શોરૂમ સામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે લઈ જવાયો હતો બાદમાં આ બાબતે એ ડિવિઝન પોલીસમાં જાણ કરાયેલી હોવાથી પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા બનાવના કારણે અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News