માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

અરેરાટી: મોરબીમાં પ્રપોત્રીના અવસાનની ગણતરીની કલાકમાં જ દાદીએ પણ અંતિમ શ્વાસ લીધો


SHARE







અરેરાટી: મોરબીમાં પ્રપોત્રીના અવસાનની ગણતરીની કલાકમાં જ દાદીએ પણ અંતિમ શ્વાસ લીધો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પીજી કલોકની પાછળના ભાગમાં આવેલ શિવમ સોસાયટીમાં પ્રપોત્રીના અવસાનની ગણતરીની કલાકમાં જ દાદીએ પણ અંતિમ શ્વાસ લીધો હતી જેથી કરીને આજે દિવાળીના દિવસે એક જ ઘરમાંથી એક સાથે બે અર્થીઓ ઉઠતા પરિવાર સહિત સમાજના લોકોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી

વર્તમાન સમયમાં ઘણી વખત આશ્ચર્યજનક કહી શકાય તેવી ઘટનાઓ બનતી હોય છે તેવી જ રીતે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પીજી ક્લોકની પાછળના ભાગમાં આવેલ શિવમ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ગણાત્રાની ૨૮ વર્ષની દીકરી શિવાંગીનું રાત્રે તેના ઘરે ૧૧ વાગ્યે અવસાન થયું હતું અને ત્યારબાદ રાત્રીના ૧૨ વાગ્યે શૈલેષભાઈના માતા જશવંતીબેન ધીરજલાલ ગણાત્રા (૭૦)નું પણ અવસાન થયું હતું આમ એક જ પરિવારમાં એક જ દિવસે દાદી અને પ્રપોત્રીનું અવસાન થતાં ગણાત્રા પરિવાર તેમજ લોહાણા સમાજમાં શોકની લાગણી ફેલાય છે અને એકી સાથે એક જ ઘરેથી બે અર્થ આજે દિવાળીના દિવસે ઉઠતા પરિવારજનો સહિત લોકોમાં અરેરેરિટી પ્રસરી ગઈ હતી






Latest News