મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી
Breaking news
Morbi Today

મોરબીમાં સખી ક્લબ-દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર- નિઃશુલ્ક નિદાન કૅમ્પ યોજાયો


SHARE













મોરબીમાં સખી ક્લબ-દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર- નિઃશુલ્ક નિદાન કૅમ્પ યોજાયો

મોરબીના પ્રસંગ હોલ ખાતે સખી ક્લબ અને દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર અને નિઃશુલ્ક નિદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ અંજુબેન પડલિયાપીયૂતાબેન પટેલસુનિલભાઈ પરમારપાલિકા પ્રમુખ કુશુમબેન પરમાર, દીપકભાઈ સોમૈયાપરેશભાઈ ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા અને આ સેમિનારમાં ગુ.રા.બોર્ડ યોગની ટીમયુવા આર્મી ટીમલાયન્સ ક્લબ ટીમ તેમજ મોરબીની જનતા જોડાઈ હતી. ત્યારે મુખ્ય વક્તા નેચથેરાપીસ્ટ અંજુબેન પડલિયાએ નેચરોપેથી શું છેનેચરોપેથી જે આપણી વેદો આધારિત ચિકિત્સા છે જેમાં માટી ચિકિત્સાજલ ચિકિત્સા અને આહાર ચિકિત્સા દ્વારા કઈ રીતે શરીરના હઠીલા રોગો દૂર કરું શકાય છે તેની માહિતી આપી હતી તેમજ આ સેમિનારમાં માટીથી બનેલા કાયાપલટના પ્રોડક્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબીની ગિતંજલી સ્કુલના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે નેચરોપેથી પર પ્રોજેક્ટ બનાવ્યો હતો તે પણ ત્યાં રાખવામા આવ્યો હતો અને બપોરના ૨ વગ્યા થી નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો જેનો ઘણા લોકોએ લાભ લીધો હતો અને આજની તેમજ આવનાર પેઢીને ફરી પ્રકૃતિ તરફ વાળીને નેચરોપેથી સારવાર કરી કેમિકલ મુક્ત ભારત બનાવવા માટે આ કાર્યક્રમનું અયોજન સખી ક્લબના નિધિબેન પટેલએ કર્યું હતું.








Latest News