મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે થયેલ સગીરની હત્યાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ


SHARE













મોરબીના શનાળા ગામે થયેલ સગીરની હત્યાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ

મોરબી નજીકના શકત શનાળા ગામે ધોકા-પાઇપથી એક જ પરિવારના ચાર લોકોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઇજા પામેલા સગીરનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો જો કે, પોલીસે અગાઉ ફરિયાદમાં નોંધાયેલા તમામ નવ આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા જો કે, ભોગ બનેલ પરિવાર દ્વારા અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેથી પોલીસે એ દિશામાં વધુ તપાસ ચલાવીને હાલમાં એક મહિલા સહિત વધુ ચાર શખ્સોની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના શનાળા ગામે આવેલા ઇન્દિરાવાસ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીના બનાવનો ખાર રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ઇકો કારમાં ધોકા-પાઇપ સાથે આવેલા નવ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવલે હતો જે અંગે બાબુભાઈ આંબાભાઈ સોલંકી (ઉમર ૬૬) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલા સહિત કુલ મળીને નવ શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાયોટીંગ અને કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને જે તે સમયે નવેય આરોપીઓને પકડીને જેલ હવાલે કરેલ હતા જો કે, ત્યાર બાદ આ ઘટનામાં ઇજા પામેલ રાહુલ મહેશ સોલંકી (ઉમર ૧૭) નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.ભોગ બનેલ પરિવાર દ્વારા અન્ય લોકો પણ હુમલામાં સંડોવાયેલા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.જેના આધારે તપાસ ચલાવીને હાલમાં મર્ડરના આ ગુનામાં આરોપી તરીકે અજીતભાઇ ગોવિદભાઈ પ્રિયદર્શની (સોલંકી) (ઉમર ૩૮), મયુર પ્રેમજીભાઈ વાઘેલા (ઉંમર ૧૯), પ્રકાશ મનસુખભાઈ વાઘેલા (ઉંમર ૧૯) અને સોમીબેન મનસુખભાઈ વાઘેલા (ઉમર ૪૫) રહે.ઇન્દીરાવાસ શકત શનાળા તા.જી.મોરબી વાળાઓની ધરપકડ કરેલ છે.






Latest News