મોરબીના શનાળા ગામે થયેલ સગીરની હત્યાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ
મોરબી : ૪ કીલો ૪૫૦ ગ્રામનો માદક પદાર્થ ગાંજાના કેસમાં આરોપીનો જામીન ઉપર છુટકારો
SHARE
મોરબી : ૪ કીલો ૪૫૦ ગ્રામનો માદક પદાર્થ ગાંજાના કેસમાં આરોપીનો જામીન ઉપર છુટકારો
મોરબી તાલુકા પોલીસે ૪ કીલો ૪૫૦ ગ્રામનો માદક પદાર્થ ગાંજા સાથે આરોપી કરશનભાઈ ભીખાભાઈ વાઘેલા ને એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૦ (બી) મુજબ ના ગુન્હાના કામે અટક કરેલ અને તે આરોપી એ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ. સુપ્રીમ કોર્ટ તથા નામ. ગુજ. હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબી ના શ્રી પી. સી. જોષી સાહેબ શ્રી એ આરોપી કરશનભાઈ ભીખાભાઈ વાઘેલા ને રૂા. ૧૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે. આ કેસમાં આરોપી કરશનભાઈ ભીખાભાઈ વાઘેલાના વકીલ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.