મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

લડતના મંડાણ: માળીયા (મી)ના ખાખરેચી ગામે કેનાલ પાણી માટે કાલે ખેડૂતોના ધારણા


SHARE







લડતના મંડાણ: માળીયા (મી)ના ખાખરેચી ગામે કેનાલ પાણી માટે કાલે ખેડૂતોના ધારણા

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલના છેવાડાના ગામના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી મળતું નથી જેથી કરીને રવિ પાકનું વાવેતર કરનારા ખેડૂતોએ લડતના મંડાણ કરેલ છે અને તેઓને નર્મદા કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી મળે તે માટે અગાઉ અનેક રજૂઆત કરી છે તો પણ પાણી મળી રહ્યું નથી ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ સરકાર અને તંત્રને જગાડવા માટે કાલે માળીયાના ખાખરેચી પાસે કેનાલ કાંઠે ધરણા કરશે તેવું ખેડૂત હિત રક્ષક સમિતિએ જણાવ્યુ છે

માળીયાના ખેડૂતોને કેનાલમાંથી સિંચાઇનું પાણી મળે તેના માટે લગભગ દર વર્ષે આંદોલન કરવું પડે તેવી જ પરિસ્થિતી હોય છે જેથી કરીને ખેડૂત હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે તેના નેજા હેઠળ લડતના મંડાણ કરવામાં આવેલ છે અને હાલમાં શીયાળુ પાક માટે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે અને ખેડૂતોને કેનાલમાંથી પાણીની જરૂર છે જો કે, કેનાલમાં પાણી આવી રહ્યું નથી જેથી કરીને માળીયા તાલુકાના ખેડૂતોને કરોડોનો ખર્ચ અને તેની મહેનત પાણીમાં જાય તેવી શક્યતા છે જેથી કરીને પાકને બચાવવા માટે હવે ખેડૂતો પાણી મળે તે માટે આંદોલન શરૂ કરવાના છે અને માળીયા બ્રાન્ચ કેનાલમાં હાલમાં પાણી ન આવતું હોવાથી તા ૨૬ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે ખાખરેચીથી વેણાસર ગામના રસ્તે કેનાલ ઉપર ખેડૂતો ધરણાં કરશે હેમા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે તેવું સ્થાનિક આગેવાન પાસેથી જાણવા મળેલ છે






Latest News