લડતના મંડાણ: માળીયા (મી)ના ખાખરેચી ગામે કેનાલ પાણી માટે કાલે ખેડૂતોના ધારણા
મોરબી અને ચોટીલાના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા ૯ પશુઓને બચાવ્યા
SHARE
મોરબી અને ચોટીલાના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા ૯ પશુઓને બચાવ્યા
વાંકાનેરથી અમદાવાદ તરફ એક આઈસર ગાડી જવાની છે જેમાં કતલખાને પશુઓને લઈ જવાના છે તેવી માહિતી મળી હતી જેના આધારે મોરબી અને ચોટીલાના ગૌરક્ષકો હિંદુ યુવા વાહિની ટીમના કાર્યકરો અને આગેવાનોએ ગાડીને રોકી હતી અને અબોલ જીવોને બચાવી લીધા હતા આ તકે હિંદુ યુવા વાહિની મોરબી જીલ્લા અધ્યક્ષ કે.બી. બોરીચા, શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, ગૌરક્ષક દિનેશભાઈ, હરેશ ચૌહાણ, અનિલભાઈ મહેશભાઈ, જયનભાઈ પરમાર, પ્રશાંતભાઈ, યશભાઈ વાઘેલા, જયદીપ ભલગામડીયા, મિત ગોહિલ, જેકી આહીર સહિતના ગૌરક્ષકો ચોટીલા બાઉન્ડ્રી પાસે હાજર રહ્યા હતા અને આઈસર ટ્રકને રોકી ચેક કર્યો હતો ત્યારે તેમાંથી પાડા અને મોટી ભેંસ મળીને ૯ પશુ મળી આવ્યા હતા જેને ક્રુરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે સ્થળ ઉપરથી ગાડીનો ડ્રાઈવર તેમજ તેના બે સાથીદારોને પકડીને પોલીસને હવાલે કરવામાં આવેલ છે હાલમાં પશુઓને રાજકોટ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવેલ છે