મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન રોડે કારખાના પાસે છાતીમાં છરીનો ઘા ઝીકિને યુવાનની હત્યા


SHARE













મોરબીના ખોખરા હનુમાન રોડે કારખાના પાસે છાતીમાં છરીનો ઘા ઝીકિને યુવાનની હત્યા

મોરબી જીલ્લામાં ચોરી, મારા મારી, લૂંટનો પ્રયાસ, હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા બનાવો હવે સામાન્ય બની ગયા હોય તેવો ઘાટ હાલમાં મોરબીમાં જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખેડૂત યુવાનની હત્યા કરવામાં આવી હતી તેની સહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ કારખાના પાસે વહેલી સવારે યુવાનને છાતીના ભાગે છરીનો ઘા ઝીકિ દેવામાં આવ્યો હતો જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવારમાં તેનું મોત નીપજયું છે જેથી હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હાલમાં અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ખોખરા હનુમાન મંદિર વાળા રોડ ઉપર આવેલ ફયુઝન ગ્રેનાઇટો નામના કારખાના પાસે મૂળ એમપીના રહેવાસી અમરશી નારાયણ સરકાર જાતે રાજપૂત (૨૩) નામના યુવાનને રવિવારે સવારે છ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સે છાતીના ભાગે છરીનો ઊંડો ઘા ઝીકિ દીધો હતો જેથી તેને ગંભરી ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને હાલમાં આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ રાજીવ નારાયણ રાજક્રિશ્ન સરકાર જાતે રાજપૂત (૨૦) રહે. મૂળ એમ્ફિ હાલમાં રહે ફયુઝન ગ્રેનાઇટો ખોખરા હનુમાન મંદિર રોડ મોરબી વાળાએ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકાનાં પીઆઇ કે.એ. વાળા અને તેની ટીમ ચલાવી રહી છે






Latest News