મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન રોડે કારખાના પાસે છાતીમાં છરીનો ઘા ઝીકિને યુવાનની હત્યા


SHARE













મોરબીના ખોખરા હનુમાન રોડે કારખાના પાસે છાતીમાં છરીનો ઘા ઝીકિને યુવાનની હત્યા

મોરબી જીલ્લામાં ચોરી, મારા મારી, લૂંટનો પ્રયાસ, હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા બનાવો હવે સામાન્ય બની ગયા હોય તેવો ઘાટ હાલમાં મોરબીમાં જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખેડૂત યુવાનની હત્યા કરવામાં આવી હતી તેની સહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ કારખાના પાસે વહેલી સવારે યુવાનને છાતીના ભાગે છરીનો ઘા ઝીકિ દેવામાં આવ્યો હતો જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવારમાં તેનું મોત નીપજયું છે જેથી હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હાલમાં અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ખોખરા હનુમાન મંદિર વાળા રોડ ઉપર આવેલ ફયુઝન ગ્રેનાઇટો નામના કારખાના પાસે મૂળ એમપીના રહેવાસી અમરશી નારાયણ સરકાર જાતે રાજપૂત (૨૩) નામના યુવાનને રવિવારે સવારે છ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સે છાતીના ભાગે છરીનો ઊંડો ઘા ઝીકિ દીધો હતો જેથી તેને ગંભરી ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને હાલમાં આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ રાજીવ નારાયણ રાજક્રિશ્ન સરકાર જાતે રાજપૂત (૨૦) રહે. મૂળ એમ્ફિ હાલમાં રહે ફયુઝન ગ્રેનાઇટો ખોખરા હનુમાન મંદિર રોડ મોરબી વાળાએ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકાનાં પીઆઇ કે.એ. વાળા અને તેની ટીમ ચલાવી રહી છે






Latest News