મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલે ૫૦ કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ


SHARE









મોરબીના ઉમિયા સર્કલે ૫૦ કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ

મોરબીના જુદાજુદા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ઉકેવા માટે ઓવરબ્રિજ ધડોધડ મંજૂર કરવામાં આવે છે ત્યારે મોરબીના ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજની માંગ કરી હતી જેને ધ્યાને લઈને હાલમાં શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલે ૫૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવેલ છે જેથી ત્યાં ટ્રાફિક સહિતના જે પ્રશ્નો છે તે આગામી દિવસોમાં ભૂતકાળ બની જશે

મોરબીના દરેક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા છે ત્યારે ટ્રાફિકના પ્રશ્ને ઉકેલવા માટે ઓવરબ્રિજ મંજૂર કરીને બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી અને સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા દ્વારા મોરબીના ઉમિયા સર્કલ ખાતે ઓવરબ્રિજ માટે સરકારમાં રજુઆત કરી હતી જેને ધ્યાને રાખીને શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે આવેલ ૫૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવેલ છે અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મોરબી નગરપાલિકાના આ નવા પ્રોજેકટ માટે રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા કચેરીને પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે જેથી ટૂંક સમયમાં ઉમિયા સર્કલે ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે






Latest News