મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતાં બે દિવસમાં સિરામિકના 100 કારખાના બંધ, રાજ્યના મુખ્યમંત્રી પણ ઉદ્યોગ માટે ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરાવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવા સીએમને રજૂઆત


SHARE













વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવા સીએમને રજૂઆત

ચાલુ વર્ષ વાંકાનેર તાલુકામાં પડેલા વરસાદના લીધે અતિવૃષ્ટિ જેવો ઘાટ સર્જાયો છે અને તેના લીધે વાંકાનેરના ખેડૂતોના પાકને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને નુકશાનનું વળતર આપવામાં આવે તેવી વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર તાલુકા પંચાયતના સભ્ય જિજ્ઞાસાબેન મેર દ્વારા ગુજરાતનાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુલાબ વાવાઝોડાંના કારણે ગુજરાતભરમાં વરસાદ થયેલ છે ત્યારે વાંકાનેર તાલુકાના અનેક ગામમાં ખેડૂતોની ખેતપેદાશોને ખૂબ જ નુકશાન થયુ છે. અને ખાસ કરીને ચોમાસું પાક કપાસ, બાજરી, મગફળી, કઠોળ, તલ વગેરેને નુકશાન થયેલું છે. જેથી ખેડૂતોને વળતર આપવામાં આવે તે જરૂરી છે ત્યારે સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારીને યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે અને વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયલો તાલુકો જાહેર કરી ખેડૂતોને સર્વે કરાવીને યોગ્ય સહાય આપવાની માંગ કરી છે 








Latest News