ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા મિયાણાના વેણાસર ગામે નિલગાયનો શિકાર !: ફોરેસ્ટ-પોલીસને જાણ કરાઇ


SHARE













માળીયા મિયાણાના વેણાસર ગામે નિલગાયનો શિકાર !: ફોરેસ્ટ-પોલીસને જાણ કરાઇ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના વેણાસર ગામે શિકારી ટોળકી સક્રિય છે અને અબોલ જીવનો શિકાર કરવામાં આવે છે તેવી ચર્ચા થઈ રહી હતી તેવામાં શિકારી ટોળકીએ બે નીલગાય ઉપર બધુંકમાંથી ભકડા કર્યા હતા જેથી એકનું મોત નીપજયું હતું અને એકને ઇજા થયેલ છે જેથી તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ફોરેસ્ટ અને પોલીસ વિભાગમાં જાણ કરવામાં આવી છે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વેણાસર ગામના સરપંચ અરજણભાઈ આહિરે હાલમાં ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર ફોરેસ્ટ અને પોલીસના લેખિત ફરિયાદ કરી છે જેમાં જણાવ્યુ છે કે,  છેલ્લા કેટલાક દિવસોથી રાત્રીના સમયે ગામ નજીક શિકારી ટોળકી સક્રિય થયેલ છે અને આ શિકારી ટોળકી નીલગાયનો શિકાર કરી રહી છે અને બંદૂકથી ભડાકા કરીને અબોલ જીવનો શિકાર કરવામાં આવે છે ત્યારે ગામની સીમમાં રહેતા ખેત મજૂરોમાં ગોળી વાગે તો બનાવ માનવ હત્યાનો બનાવ બને તેવી શ્કાયતા છે જેથી કરીને આ શિકારી ટોળકીને ડામવામાં આવે તે જરૂરી છે વધુમાં જણાવ્યુ છે કે, બે નીલગાય ઉપર ભડાકા કર્યા હતા જેથી કરીને એકનું મોત નીપજયું હતું જો કે, અન્ય એકને ઇજા થયેલ છે જેથી તેને હાલમાં સારવારમાં લઈ જવામાં આવેલ છે 






Latest News