મોરબીમાં પોલીસ-પબ્લિક નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એલાઇટ પેંથર ચેમ્પિયન: રનર્સઅપ કોટોન ઇલેવેન
મોરબીના લીલાપર ગામેથી બે દીકરીઓ સાથે પરણીતા ગુમ
SHARE
મોરબીના લીલાપર ગામેથી બે દીકરીઓ સાથે પરણીતા ગુમ
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લીલાપર ગામે રહેતા પરિવારની મહિલા બે દીકરીઓ સાથે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને તેના પતિ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર ઉપર આવેલા લીલાપર ગામે ગુરુદેવ સોસાયટીમાં રામજી મંદિર પાસે રહેતા અને મૂળ રવાપર ગામના પરેશભાઈ કિશોરભાઈ અગ્રાવત જાતે રામાનંદી સાધુ (૩૭)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેરાત કરી હતી કે તા. ૨૪/૧૨ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાંથી તેઓના પત્ની ડોલીબેન પરેશભાઈ અગ્રાવત (૨૬) તેઓની બે દીકરીઓ કિરણ પરેશભાઈ અગ્રાવત (૮) ક્રિષ્ના પરેશભાઈ અગ્રાવત (૩) ની સાથે ગુમ થઈ ગયેલ છે અને ઘરે તાળું મારીને કોઈને કંઈ કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયેલ છે જેથી હાલ તાલુકા પોલીસ દ્વારા આ બાબતે ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલી છે જેની આગળની તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે આ બાબતે જો કોઈને કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.