વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામેથી બે દીકરીઓ સાથે પરણીતા ગુમ 


SHARE













મોરબીના લીલાપર ગામેથી બે દીકરીઓ સાથે પરણીતા ગુમ 

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લીલાપર ગામે રહેતા પરિવારની મહિલા બે દીકરીઓ સાથે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને તેના પતિ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર ઉપર આવેલા લીલાપર ગામે ગુરુદેવ સોસાયટીમાં રામજી મંદિર પાસે રહેતા અને મૂળ રવાપર ગામના પરેશભાઈ કિશોરભાઈ અગ્રાવત જાતે રામાનંદી સાધુ (૩૭)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેરાત કરી હતી કે તા. ૨૪/૧૨ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાંથી તેઓના પત્ની ડોલીબેન પરેશભાઈ અગ્રાવત (૨૬) તેઓની બે દીકરીઓ કિરણ પરેશભાઈ અગ્રાવત (૮) ક્રિષ્ના પરેશભાઈ અગ્રાવત (૩) ની સાથે ગુમ થઈ ગયેલ છે અને ઘરે તાળું મારીને કોઈને કંઈ કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયેલ છે જેથી હાલ તાલુકા પોલીસ દ્વારા આ બાબતે ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલી છે જેની આગળની તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે આ બાબતે જો કોઈને કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News