ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામેથી બે દીકરીઓ સાથે પરણીતા ગુમ 


SHARE













મોરબીના લીલાપર ગામેથી બે દીકરીઓ સાથે પરણીતા ગુમ 

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લીલાપર ગામે રહેતા પરિવારની મહિલા બે દીકરીઓ સાથે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને તેના પતિ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર ઉપર આવેલા લીલાપર ગામે ગુરુદેવ સોસાયટીમાં રામજી મંદિર પાસે રહેતા અને મૂળ રવાપર ગામના પરેશભાઈ કિશોરભાઈ અગ્રાવત જાતે રામાનંદી સાધુ (૩૭)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેરાત કરી હતી કે તા. ૨૪/૧૨ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાંથી તેઓના પત્ની ડોલીબેન પરેશભાઈ અગ્રાવત (૨૬) તેઓની બે દીકરીઓ કિરણ પરેશભાઈ અગ્રાવત (૮) ક્રિષ્ના પરેશભાઈ અગ્રાવત (૩) ની સાથે ગુમ થઈ ગયેલ છે અને ઘરે તાળું મારીને કોઈને કંઈ કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયેલ છે જેથી હાલ તાલુકા પોલીસ દ્વારા આ બાબતે ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલી છે જેની આગળની તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે આ બાબતે જો કોઈને કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News