કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામેથી નીકળેલ મંત્રી અરવિંદ રૈયાણીની જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર કરાયું સ્વાગત


SHARE







મોરબીના શનાળા ગામેથી નીકળેલ મંત્રી અરવિંદ રૈયાણીની જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર કરાયું સ્વાગત

 ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા હાલમાં જુદા-જુદા જિલ્લાઓની અંદર યોજાઈ રહી છે ત્યારે રાજકોટના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યના વાહન વ્યવહારનાગરિક ઉડ્ડયનપ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી અરવિંદભાઇ રૈયાણી મોરબી આવ્યા હતા અને મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે દર્શન કરીને આશીર્વાદ લીધા બાદ તેની જન આશીર્વાદ યાત્રા મોરબી થી રાજકોટ તરફ જવા માટે રવાના થઈ હતી ત્યારે વીરપર, ધ્રુવનગર, ટંકારા સહિતના ગામોમાં મંત્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે તેઓને કુમકુમ તિલક કરી આવકાર સાથે સન્માન આપવામાં આવ્યું હતું ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા અને રણછોડભાઈ દલવાડી, મોરબી યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સહિતના આગેવાનો તેની સાથે રહ્યા હતા






Latest News