મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડવા સબબ કલેકટર-મુખ્યમંત્રી સમક્ષ કરાઈ લેન્ડગ્રેબીંગ દાખલ કરવા માટે અરજી


SHARE















મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડવા સબબ કલેકટર-મુખ્યમંત્રી સમક્ષ કરાઈ લેન્ડગ્રેબીંગ દાખલ કરવા માટે અરજી

મોરબીના ખત્રીવાડ શેરી નંબર ૪ માં ત્યાં રહેતા કેટલાક લોકોએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવેલ હોય તેની સામે જાગૃત નાગરીકે કલેકટર-મોરબી સમક્ષ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરી જવાબદારો સામે ગુન્હો નોંધવા મુખ્યમંત્રી-ગુજરાત રાજય સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં ખત્રીવાડ શેરી નંબર ૪ માં સીટીસર્વે કચેરીના વોર્ડ નંબર ૧ માં સમાવેશ થતી આશરે ૪૦૦૦ ફુટ જેટલી વર્ષોથી ખાલી પડેલ આ સરકારી જમીન ઉપર ત્યાં બાજુમાં રહેતા આસામીઓ દ્રારા બળજબરીપૂર્વક કબ્જો કરીને મકાન બાંધીને તે મકાન ભાડે આપી તથા જાહેર રસ્તાઓનું દબાણ કરવામાં આવેલ જાગૃત નાગરીક તરફથી અવાર-નવાર તે અંગે મોરબી નગરપાલીકા સમક્ષ રજુઆત કરતા દબાણ કરતા જવાબદાર તત્વો સામે કોઈ જ પગલા લેવાયેલ નહિ..!! અને લેભાગુ તત્વો દ્વારા જાગૃત નાગરીકને બેફામ ગાળો આપીને તેમના પરીવારના સભ્યો ઉપર હુમલો કરીને જાગૃત નાગરીકની જ મિલ્કત પચાવી પાડવા અંગે ગર્ભિત ધમકીઓ આપવામાં આવતા આખરે નાછુટકે દબાણકર્તાઓને અટકાવવા તથા સરકારી જમીનનો કબજો ખાલી કરાવવા તથા જવાબદાર તમામ તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરી સખ્ત નસિહત અપાવવા મોરબીના જાગૃત નાગરીક તરીકે દિલીપીગીરી ગૌસ્વામીએ સરકાર વતી ફરીયાદી બનીને મોરબી કલેકટર સમક્ષ ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ સામાવાળા સુરેશભાઇ ગોવિંદસિંહ રાઠોડ તથા અન્ય દબાણકર્તાઓની સામે પગલા લેવા માટે અરજી નંબક ૪૨૮૦૦૨૩૦૦૦૮૫૦૭ થી ફરીયાદ દાખલ કરેલ છે અને તે ફરીયાદના કામે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો વધુ તત્વોના નામ ખુલ્લે તેવા પુરતા સંજોગો છે અને તે તમામ જવાબદાર દબાણ કરનારાઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ અરજી નંબર ૪૨૮૦૦૨૩૦૦૦૮૫૦૭ ને અરજીમાં પક્ષકાર તરીકે જોડી તમામ દબાણકર્તાઓની સામે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ ધોરણસર ગુન્હો નોંધવા જાગૃત નાગરીક દિલીપગીરી ગૌસ્વીમી દ્રારા કલેકટરને તેમજ મુખ્યમંત્રી ગુજરાત રાજય ગાંધીનગર ખાતે રજુઆત કરવામાં આવેલ છે.






Latest News