મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

માળિયા (મી) નજીક ડમ્પર પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત: ગુનો નોંધાયો


SHARE













માળિયા (મી) નજીક ડમ્પર પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત: ગુનો નોંધાયો

માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામની ગોળાઈ પાસે દેવ સોલ્ટ પહેલા ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને આગળ જતા ડમ્પરમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક યુવાનને પેટ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતુ જે બનાવમાં હાલમાં મૃતક યુવાનની સામે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પાટણ જિલ્લાના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવતા આદિપુર ગામે રહેતા શૈલેષભાઈ અમૃતલાલ કબોયા જાતે પ્રજાપતિ (૩૮)એ મૃતક યુવાન બિચારભાઈ દિનેશભાઈ રાય (૨૦) રહે. બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામથી આગળના ભાગમાં દેવસોલ્ટ નજીક રસ્તા ઉપરથી મૃતક તેના હવાલા વાળો ટ્રક નંબર જીજે ૧૨ એટી ૭૩૩૭ લઈને જઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ડમ્પરમાં ધડાકા ભેર પોતાનું વાહન અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મૃતક યુવાનને પેટ અને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે શૈલેષભાઈ કબોયાએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર શહેરમાં ગાયત્રી મંદિર રોડ ઉપર આરોગ્યનગરમાં રહેતા લાલજીભાઈ વશરામભાઈ મણસૂરિયા (૫૭) નામના આધેડને તેઓ ઘરે હતા ત્યારે હાર્ટ અટેક આવી જતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News